પળવારમાં આ શું થઈ ગયું… કવિયત્રી : – હેતલ.જોષી… રાજકોટ

પળવારમાં આ શું થઈ ગયું..

હેતલ. જોષી… રાજકોટ

પળવારમાં આ શું થઈ ગયું…

ક્ષણો ખુશીઓની વીતતી હતી,

પરિવાર સાથે આનંદમાં હતા દરેક,

સેલ્ફી અને ફોટાઓ પાડી રહયા હતા,

આનંદ અને ખુશીઓની પળો માણી રહયા હતા,

તો શું થયું આ કાળ ને જે લોકો પર વરસી ગયો,

ખુશીઓની ક્ષણો એ માતમમાં ફેરવી ગયો,

ભરખી ગયો સહુને એ પળવાર માં,

એતો મોતનો આંતક પળવાર માં મચાવી ગયો,

થયા ઘણા પરિવાર વિખુટા અહીં,

વિખેરાઈ ગયા કંઈક માનવી માળા અહીં,

શોધે નહીં જડે એ હવે એતો પ્રભુ શરણે થઈ ગયા,

વાંક કાળ બનેલા કુદરતનો કે માનવી નો,

જે હોય તે પણ આજે પણ પરિવારો વિખેરાઈ ગયા,

રાહ જોઈ રહેલા બાળકો માતા -પિતાથી વિખુટા થઈ ગયા,

ઘણા પરિવાર દિપક પણ બુઝાઈ ગયા,

આપી જખ્મો જીવન ભર ના,

કાળ હવે કેમ શાંત થઈ ગયો,

રહીગઈ બસ એ ચીસો કાનમાં સદાય ને માટે,

અને એક ખોટ જીવન ભર માટે એ દઈ ગયો,

આ કાળ પણ કેવો વેરી થઈ ગયો,

પળવાર માં આ શું કરી ગયો,

 પળવાર માં આ શું કરી ગયો,

ૐ શાંતિ પ્રભુ દિવગત આત્માને શાંતિ આપે,

અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *