પળવારમાં આ શું થઈ ગયું..
હેતલ. જોષી… રાજકોટ
પળવારમાં આ શું થઈ ગયું…
ક્ષણો ખુશીઓની વીતતી હતી,
પરિવાર સાથે આનંદમાં હતા દરેક,
સેલ્ફી અને ફોટાઓ પાડી રહયા હતા,
આનંદ અને ખુશીઓની પળો માણી રહયા હતા,
તો શું થયું આ કાળ ને જે લોકો પર વરસી ગયો,
ખુશીઓની ક્ષણો એ માતમમાં ફેરવી ગયો,
ભરખી ગયો સહુને એ પળવાર માં,
એતો મોતનો આંતક પળવાર માં મચાવી ગયો,
થયા ઘણા પરિવાર વિખુટા અહીં,
વિખેરાઈ ગયા કંઈક માનવી માળા અહીં,
શોધે નહીં જડે એ હવે એતો પ્રભુ શરણે થઈ ગયા,
વાંક કાળ બનેલા કુદરતનો કે માનવી નો,
જે હોય તે પણ આજે પણ પરિવારો વિખેરાઈ ગયા,
રાહ જોઈ રહેલા બાળકો માતા -પિતાથી વિખુટા થઈ ગયા,
ઘણા પરિવાર દિપક પણ બુઝાઈ ગયા,
આપી જખ્મો જીવન ભર ના,
કાળ હવે કેમ શાંત થઈ ગયો,
રહીગઈ બસ એ ચીસો કાનમાં સદાય ને માટે,
અને એક ખોટ જીવન ભર માટે એ દઈ ગયો,
આ કાળ પણ કેવો વેરી થઈ ગયો,
પળવાર માં આ શું કરી ગયો,
પળવાર માં આ શું કરી ગયો,
ૐ શાંતિ પ્રભુ દિવગત આત્માને શાંતિ આપે,
અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.